મિત્રો,
સોયાબીન હોય કે કપાસ કે મરચી બધા માટે ખુબ અગત્યની વાત હોય તો તે છે ઉપજાવ- ફળદ્રુપ અને ઉપજ આપે તેવી જમીન, આજે આપણે આપણા બાપ-દાદા એ આપેલી જમીન અને પાણી બંનેને બગાડી નાખ્યા છે તે ફરી સુધારવા પડશે.
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.
સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.